મોતનો વેપાર

આટલા અખબાર શા માટે?
ટીવી સમાચાર શા માટે?

દુનિયાના છેડે આવીને
ગામનો ઉતાર શા માટે?

સમસ્યાઓની ખીચડી પર
ન્યૂઝનો વઘાર શા માટે?

પ્રિન્સે કૂવામાં પાણી પીધું
એની ચકચાર શા માટે?

બે નંબરી કમાવે એનો
પેજ થ્રી પ્રચાર શા માટે?

ચકલું ચરકે તોય ચર્ચા
વિષ્ટા વિચાર શા માટે?

લાશ જોઈને હાશ અનુભવે
ગીધડાં પત્રકાર શા માટે?

વિકૃત લાશના ફોટાં છાપી
મોતનો વેપાર શા માટે?

-હેમંત

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

9 Responses to મોતનો વેપાર

  1. hemantpunekar કહે છે:

    આપણા પ્રસાર માધ્યમો આટલા નિરાશાવાદી (negative) કેમ છે? – એક વ્યાખ્યાનમાં આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે આમ પુછ્યુ હતુ. વાત સાચી છે. પ્રસારમાધ્યમોનું કામ માહિતી આપવાનુ હોવું જોઈએ, એના બદલે આપણા પ્રસાર માધ્યમો ભાવનાત્મક ઉત્તેજના ફેલાવી સસ્તી લોકપ્રિયતા મેળવવાના રવાડે ચડ્યા છે. અકસ્માતમાં છુંદાઈ ગયેલી લાશના ફોટા, પોલીસ પીટાઈ પછી રસ્તા પર તરફડતા યુવાનને “આપકો કૈસા લગ રહા હૈ” જેવા પુછાતા પ્રશ્નો વગેરે વગેરે. પૂછવાનું મન થાય છે કે આ બધુ શા માટે?

  2. shivshiva કહે છે:

    કોમ્પિટીશનનો જમાનો છે ભાઈ કોઈ કોઈને કહેવા નવરુ જ નથીને

  3. Suresh Jani કહે છે:

    શા માટે ? આ એક સરસ વિષય પાદ પૂર્તિ માટે રાખી શકાય .

  4. હરીશ દવે કહે છે:

    જબરો આક્રોશ ઠાલવ્યો છે, દોસ્ત!

    સમાજને હચમચાવવા માટે આવા
    શબ્દોની તાતી જરૂર છે.

    ……… હરીશ દવે અમદાવાદ

  5. Ramesh Shah કહે છે:

    “શા માટે ?” પ્રશ્ન કર્યો છે અને એ વ્યાજબી છે, પણ ઉત્તર છે તમારી પાસે? આશા છે હવે પછી ની રચના માં જવાબ પણ મળશે.All the best.
    રમેશ શાહ.

  6. Mehul Chauhan કહે છે:

    Dear hemant.. you have nicely depicted the crude reality in this poem about the print media…..but you know this is really what we need as a
    public…can you imagine that a positive news paper will survive in this “masala market”…anyway,..its nice creation…

  7. Sangita કહે છે:

    Wish more, if not a lot or all, people would think like this.

  8. sanchit shastri કહે છે:

    I think your thinking is really great. but now news papres has no value.so for only to be sold or to be in gosips they use this type of isues.

Leave a comment